પ્રતિ શ્રી,
( વિષય: રાજુલા થી સુરત બસ ચાલુ કરવા બાબત )
જય ભારત સાથે જણાવવા નું કે ગુજરાત સરકાર ના પ્રધાન શ્રીં.હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા ડેપો ( જી. અમરેલી) ની રાજુલા થી સુરત (વાયા:- મહુવા.તળાજા.ભાવનગર.વડૉદરા ) ની બસ છેલ્લા ૬ માસ થી ચાલુ થયેલી. અને તાલુકા ની જનતા ને ધીમે ધીમે ખબર પડતા તેની આવક વધવા લાગી. પીક સિજન મા પણ રૂ. ૨૭ થી ૩૦ હજાર ની આવક થતી. અને ઑફ સિજન મા પણ રૂ .૧૫ થી ૨૦ હજાર ની આવક હતી .
રાજુલા મા થી રોજ ની ૧૫ બસ પ્રાઇવેટ સુરત જવા માટે ઉપડે છે. અને લોકો પાસે થી વધારે રૂપિયા લે છે . તેવા સમયે ગામ ના ગરીબ અને જરૂરીયાત વાળા લોકો ને આર્શિવાદ રૂપ આ બસ હોવા થી ખુશ હતા . પરંતુ અચાનક આ બસ બંધ થતા સમગ્ર તાલુકા ના લોકો ખુબજ હેરાન થાય છે .અને ઉચી કિમત આપી પ્રાઇવેટ મા જવું પડે છે આ ઉપરાત અપ – ડાઉન કરતા વેપારી .નોકરીયાત. વિદ્યાર્થી ને પણ ખૂબજ તકલીફ પડે છે . આ બસ બંધ કરવા પેહલા તેને ON LINE BOOKING માં થી કાઢી નાખવા મા આવી જેથી લોકો સીટ બુક ના કરાવી શકે . અને આવક ઓછી આવે અને પછી બંધ કરી છે . તો આ બસ તાત્કાલીક ચાલુ કરવા વિનંતી.
લી,
આપનો વિશ્વાસુ Was this information helpful? |
Post your Comment