પ્રતિ શ્રી
સંદેશ પેપર
ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે "વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ" મુ.ઝાલોદ રોડ, મુ.પો.ફતેપુરા, તા. ફતેપુરા જી-દાહોદ માં આવેલી છે કે જેને સરકારી ધારા ધોરણ પ્રમાણે મંજુરી મળેલ નથી છતાં પણ ૯ જુન ૨૦૧૪ થી ગેરકાયદેસર ધો-૧ થી ૮ ચાલુ છે. આ શાળાએ નવી શાળા ખોલવા માટેની દરખાસ્ત કરેલ હતી પણ મંજુરી ની દરખાસ્ત ની પૂર્તતા ના હોવાથી સદર શાળાની દરખાસ્ત દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દફતરે કરેલ છે. છતાં પણ નીતિ -નિયમોની એસી-તેસી કરી વગર પરવાનગીએ આ શાળા આજ દિન સુધી ચાલી રહેલ છે તથા વિદ્યાર્થીઓ ના ભાવી સાથે ચેડાં કરી રહેલ છે .
નિયમ મુજબ વગર પરવાનગીએ શાળા ચલાવનારને ૩ લાખ રૂપિયા અને પ્રતિ દિવસનો ૧૦ હજાર પ્રમાણે દંડ લાગુ પડે છે. પણ આ શાળાને કોઈ દંડ લાગુ પડતો નથી એવું મનાઈ રહ્યું છે, તથા સ્થાનિક મીડિયા દ્વારા પણ કોઈ બહાર પાડવા તૈયાર નથી, કદાચ સ્થાનિક મીડિયાને તેમનું ચા-પાણી મળી ગયું હોય એવું લાગે છે .
તો આપ સાહેબ ને મારી નમ્ર અરજ છે કે આવા તત્વોને સ્થળ પર તપાસ કરી ખુલ્લા પાડવા વિનંતી છે .
Was this information helpful? |
regarding abuse photos on news paper
sandesh news paper gujarat had posted abuse photos of sunny lion please take action about sandesh news papaer .the artical posted on[protected]