વિસ્તાર - વિશાલનગર ( ચંડોળા તળાવની પાલ )
વર્ડ - ઇસનપુર
શહેર - અમદાવાદ
છેલ્લા ઘણા સમયથી વિશાલનગર બાજુ ચંડોળા તળાવમાં અજાણ્યા ઈસમો સાંજ ના 6 વાગ્યા પછી જુના ટાયરો અને ઇલેક્ટ્રિક વાયરો સળગાવે છે. આ વાયરો નો ધુમાડો વિશાલનાગર, મહારાણા પ્રતાપ સોસાયટી, સતાધાર સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટીમાં અને આજુબાજુ ની સોસાયટીઓમાં ફરી વળે છે. આ ઝેરી ધુમાડાના લીધે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સાંજ ના સમયે આ ધુમાડા ના લીધે એર ક્યુઆલિટી ઈન્ડેક્સ 250 થી 350 સુંધી પહોંચી જાય છે. શિયાળા ના સમયમાં લોકો બારીબારણાં બંધ કરીને સુતા હોઈ છે એવા સમયે જો આ ધુમાડો કોઈ ના ઘરમાં ઘુસી ગયો તો જાનહાની થવાની પુરી શક્યતા છે. એ સિવાય આ ઝેરી ધુમાડા થી નાના બાળકો, વડીલો અને શ્વસન તંત્રના રોગો થી પીડાતા લોકો ને બહુજ તકલીફ પડી રહી છે.
અમે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કંમ્પ્લેઇન હેલ્પ લાઈન નંબર
( [protected] ) ઉપર જાણ કરી હોવા છતાં કોઈ જ પ્રતિક્રિયા જોવા નથી મળી.
લગતા વળગતા સત્તાવાળાઓ ને જાણ કરી હોવા છતાં આ પ્રદુષણ બંધ કરાવવા માટે કોઈ જ એકશન લેવામાં આવતી નથી. આપ શ્રી નામદાર ને વિનંતી છે કે આ માટે ઘટતું કરી ને અમને આ પ્રદુષિત વાતાવરણ થી છુટકારો આપવો
એક નાગરિક
Was this information helpful? |
Post your Comment