પ્રતિશ્રી,
સરખેજ વોર્ડ ઓફિસર
વોર્ડ ઓફીસ, સરખેજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.
વિષય: પાણી આપવાનો સમય સવારમાં કરવા બાબત.
સવિનય આપ સાહેબને જણાવવાનું કે અત્રેની શાળામા ધોરણ ૧ થી ૮ સુધીના આશરે ૬૫૦ બાળકો હાલમાં અભ્યાસ કરી રહેલ છે અને રમઝાન મહિના પહેલા થી પાણી વિતરણ કરવાનો સમય અમારી શાળા જે નેહરુનગર, મકરબા મા આવેલ છે તે સવાર ના બદલે મોડી રાતનો કરવામાં આવેલ છે. શાળા પાળીમાં ચાલે છે જેથી પાણી રાત્રે આપવામાં આવે તો રાત્રી ના શાળા બંધ હોય છે જેથી પાણી ચાલુ કરવા માટે કોઈ પણ વ્યક્તિ શાળામાં હાજર હોતું નથી જેથી બાળકો પાણી વગરના રહે છે. શાળામાં પાણી પીવા માટે અને શાળા ના ટોયલેટ સફાઈ માટે પણ મળતું નથી અને શાળામાં હાલમાં અન્ય કોઈ બોર વગેરેની વ્યવસ્થા પણ નથી જેથી પાણી નો સમય પેહલા જે હતો તે પ્રમાણે કરવામાં આવે જેથી બાળકો પાણી કે જે આપણી પ્રાથમિક જરૂરત છે તેના થી વંચિત ન રહે. આપ સાહેબ તેમજ આસ.સીટી એન્જીનીયર, બોડકદેવ ઝોન ની ઓફિસમાં મા પણ મોખિક રજૂઆત કરવામાં આવેલ છે. તેમના જણાવ્યા મુજબ વહીવટી કારણોસર પાણી આપવાનો સમય બદલવામાં આવેલ છે તો આપ સાહેબ ને અમો નમ્ર વિનંતી કરીએ છીએ કે શાળા સરકારી છે અને સ્થાનિક લોકોની પણ વારંવાર રજૂઆત પાણી બાબતે અમોને શાળામાં કરવામાં આવે છે તો આપ સાહેબ ને જણાવવાનું કે પાણી આપવાનો સમય સ્પેશિયલ કિસ્સામા આ એરિયા પુરતું રાબેતા મુજબ દિવસ દરમ્યાન આપવામાં આવે. આ શાળા મા મધ્યાન ભોજન યોજના પણ ચાલે છે જેથી ખોરાક તૈયાર કરવા અને બાળકો ના વાસણો ધોવા માટે પણ હાલમાં પાણી મળતું નથી. તો આ ફરિયાદ નો તાત્કાલિક ધોરણે ધ્યાને લઇ ઘટતું કરવા આપને વિનંતી કરવામાં આવે છે.
નકલ રવાના:
૧. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી
૨. જીલ્લા કલેકટર શ્રી, અમદાવાદ
૨. ડેપ્યુટી. મ્યુ. કમિશનરશ્રી, ન્યુ, વેસ્ટ ઝોન, બોડકદેવ
૩. ચેરમેન શ્રી, વોટર વર્કસ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન
૪. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, સીટી તાલુકો, અમદાવાદ.
૫. જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, અમદાવાદ.
૬. સ્થાનિક કોર્પોરેટર શ્રી,
તૃપ્તિબેન ગોહિલ
આચાર્ય
નેહરુનગર પ્રાથમિકશાળા, મકરબા
અમદાવાદ
ટેલ. ૯૯૦૪૯૨૯૪૧૭
email: nehrunagar.makarba.city.[protected]@gmail.com
Was this information helpful?
Post your Comment