માનનીય સાહેબશ્રી,
પાલડી ઝોનમાં ફ્લેટ નંબર -2, 4, 6 ચિંતન ફ્લેટ, આનંદનગર સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-7 ખાતે ગ્રાઉન્ડ ફ્લોરથી બે માળનું માર્જીન - પાર્કિંગની જગામાં કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસરનું અવૈધ બાંધકામ પૂરઝડપથી છેલ્લા 3 દિવસથી વધુ મજૂરો રોકી ચાલુ છે, જે તાત્કાલિક ધોરણે બંધ કરી, તોડવા મહેરબાની કરશોજી, આ ગેરકાયદેસરનાં બાંધકામથી અન્ય ફ્લેટનાં હવા - ઉજાસ તેમજ ફ્લેટના કોઈ પણ રહીશોને જાન - માલ, મિલ્કતને નુકશાન થવાની સંભાવના છે, તો તાત્કાલિક અસરથી પગલાં લઇ, અવૈધ થતું બાંધકામ બંધ કરાવશો, આ બાબતની જાણ નોટિસ આપી ફ્લેટનાં રહીશો તેમજ મ્યુનિસિપલ કમિશનર તથા ટીડીઓ સાહેબને પણ કરેલ છે. મહેરબાની કરી, આ ગેરકાયદેસરના થતા બાંધકામ સામે પગલાં લઇ બંધ કરાવી, દૂર કરાવશો, જેથી સામાન્ય નાગરિકને કોર્ટ - કચેરી સુધીનાં લાંબા ખર્ચ ના થાય. સત્યની રખેવાળી આપ તુરંત કરશોજી. - ચિરાગ કોઠારી Was this information helpful? |
Post your Comment