ડેપો મેનેજર સાહેબશ્રી,
વિષય:- કંડકટર શ્રી ની વર્તણૂક બાબત
જય ભારત સાથે જણાવવાનું કે તારીખ ૧૬/૧૨/૨૧ ના રોજ વડોદરા ગોધરા એક્ષપ્રેસ બસ માં આવવનું થયુ હતું અને મારે જરોદ ચાર રસ્તા (રેફરલ હોસ્પિટલ) પર ઉતરવા નું હતું કન્ડક્ટર શ્રી અને ડ્રાઈવર શ્રી ને મેં ઉતારવા માટે વાત કરી હતી પણ તેમને ત્યાં બસ ઉભી નથી રાખી એમના જણાવ્યા પ્રમાણે એ એમનું સ્ટોપ નથી પણ હું રોજ મુસાફરી કરું છું અને અત્યાર સુધી દરેક બસ તે સ્ટોપ પર ઉભી જ રહે છે અને મુસાફરો સાથે તોછડાઈ ભર્યું વર્તણૂક કરે છે... મજૂર વર્ગ ના મુસાફરો કે જેઓ આખા દિવસ ની મહેનત પછી ઘરે આવતા હોય તયારે ૧.૫ કિલોમીટર દૂર બસ ઉભી રાખે છે ત્યાંથી મુસાફરો એ પાછા ૧.૫ કિમી ચાલી ને આવું પડે છે અને મુસાફર દરવાજા પાસે આવી ગયા છતાં ઉતારવા ના દીધા છતાં ઉપરથી એમની સાથે જોર જોરથી ઊંચા આવાજે વાતો કરવી એ એસ ટી નિગમ ની છાપ બગાડે છે જેનાથી લોકો એસ ટી માં મુસાફરી કરવાનું ટાળશે અને એસ ટી નિગમ ની જન માનસ માં ખરાબ અસર પડશે...
ઉપરોક્ત બાબત આપનું ધ્યાન દોરવામાં આવે છે કે ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે જે તે કન્ડક્ટર નું ધ્યાન દોરી યોગ્ય માર્ગદર્શન આપશો.
એસ ટી નંબર GJ 18 Y 7954.
સમય સાંજ ૦૬:૨૮:૧૧
ટિકિટ નંબર ૦૪૨૩૨૬ Was this information helpful? |
Post your Comment