Address: | Sector 13, Gandhinagar |
મે તા. ૧૧/૦૯/૨૦૨૦ના રોજ Bus no. GJ-18-Z-3198. ગાંધીનગર સોમનાથ માં મુસાફરી કરેલ છે. જેમાં મે બે સીટ રિઝર્વ કરાવેલ હતી એક સીટ નીચે (seating) તથા એક ઉપર.(sleeping). જેમાં નીચેની સીટમાં ખૂબ પાણી ભરાયેલ હોવાથી બેસી શકાય તેમ ન હતું જેથી સદર બાબત ની જાણ બસના કંડકટર શ્રી સંજયભાઈ ચંદેગરા ને કરેલ જેમણે મને ત્યાં સાફ કરીને બેસી જવા જણાવેલ. બેસી શકાય તેવું ન હોવાથી હું ત્યાં થોડીવાર ઊભો રહ્યો ત્યાર બાદ તેમણે એક નાનું કાગળ આપી ને સાફ કરવા જણાવ્યું . ત્યારબાદ મે જાતે સાફ કરી ખરાબ કાગળ કચરાપેટીમાં ફેકવા કંડકટર શ્રીને આપતા તેમણે સરકારશ્રી ના સ્વચ્છતા અભિયાન વિરૂદ્ધ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બસ સ્ટેશનમાં ફેકી દીધેલ છે જે એક ગંભીર બાબત છે. તથા ગ્રાહક ટિકિટ ના પૂરા પૈસા ચૂકવે છતાં શું બસ માં સાફ સફાઈ એક ગ્રાહક ને જાતે કરવાની હોય ? તથા બસમાં ખૂબ અવાજ આવતો હોવાથી sleeping બસ હોવા છતાં ઊંઘી શકાય તેમ નથી.
વધુમાં હાલ કોરોના(covid-19) મહામારી હોવા છતાં બસ અમદાવાદ પહોંચતા બસમાં ઘણાં ફેરિયા ચડ્યા અને તે પણ માસ્ક વગર. આમ છતાં કંડકટર શ્રી એ કોઈ પગલું ભરેલ નથી. તથા આપનું માયાળુ ઘ્યાન દોરતા જણાવવાનું કે બસના કંડકટર શ્રી એ પણ માસ્ક પહરેલ ન હતું
ઉકત બાબતે ગ્રાહક ટિકિટ ના પૂરા પૈસા ચુકવી મુસાફરી કરે, છતાં બસમાં સ્વચ્છતા નો અભાવ તથા કર્મચારી ના ઓરમાયા વર્તનના લીધે તેનો ભોગ ગ્રાહક બને છે. આ બાબતે સત્વરે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. Was this information helpful? |
Post your Comment