Address: | Banaskantha, Gujarat, 385001 |
તા.૩/૧૦/૨૦૧૬ના રોજ અડાલજ (અમદાવાદ) થી પાલનપુર જવા માટે ટિકિટ નં.૦૩૨૧૯૩ તા.૦૩/૧૦/૨૦૧૬ સમય ૧૬:૩૮:૩૯ થી રૂ.૧૯૪.૦૦ બે ટિકિટ લીધેલ.આ બસ ઉંઝા ખાતે આવેલ ત્યારે કંડક્ટર દ્વારા બસ ૧૦ મિનિટ ઉભી રહેશે.જેને પેસાબ-પાણી કરવા હોય તે જઇ શકે છે.આથી અમો બન્ને (પતિ-પત્નિ) ઉંઝા ખાતે એક ખૂણામાં આવેલ પેસાબ ઘર માં જઇ ને લગભગ ૫ (પાંચ) મિનિટ પહેલા પરત આવી ગયેલ ત્યારે અમને જ્યાં ઉતારવામાં આવેલ તે જગ્યાએ (પ્લેટફોર્મ) પર બસ નહોતી. આજુબાજુ તપાસ કરતાં પણ બસ ક્યાંય હતી નહિ.ત્યાર પછી ઉંઝા સ્ટેશન ખાતે કમ્પ્લેઇન કરેલ છે.કમ્પ્લેઇન નં.૦૧૧૩૦ છે.ઉંઝા સ્ટેન્ડ પરના ફરજ પરના કર્મચારી ના જણાવ્યાનુસાર આવી બસની નોંધણી અહિ થયેલ નથી.તેમજ ફરજ પરના અધિકારી ને વિનંતી કરેલ કે અમોને બીજી બસમાં પાલનપુર જવાની વ્યવસ્થા કરી આપો પરંતુ તેઓશ્રીએ કોઇ વ્યવસ્થા કરેલ નહિ અને અમોને અમારી રીતે ત્યાર પછી આવેલ દાહોદ ડીસા બસમાં ટિકિટ નં.૦૩૪૧૪૬ તા.૦૩/૧૦/૨૦૧૬ સમય ૧૮:૪૯:-- થી રૂ. ૮૬.૦૦ બે ટિકિટ દ્વારા પાલનપુર ખાતે આવેલ અને પાલનપુર સ્ટેન્ડ ખાતે પણ કમ્પ્લેઇન કરેલ છે.જ્યાં ફરજ પરના અધિકારી પાસે કમ્પ્લેઇન બુક ઉપલબ્ધ ન હોઇ કોરા કાગળ પર કમ્પ્લેઇન કરેલ છે. સ્ટેન્ડ પરના ફરજ પરના કર્મચારી ના જણાવ્યાનુસાર આવી બસની નોંધણી અહિ પણ થયેલ નથી.ત્યાર બાદ સમયાંતરે ઇંટરનેટ પરથી જુદા જુદા અધિકારીઓના ફોન નંબરો મેળવી આ બાબતે ઘટતુ કરવા વિનંતી કરવામાં આવેલ છે.આમ ઉપરોક્ત હકિકતો ધ્યાને લઇ જવાબદારો સામે યોગ્ય પગલાં લઇ અમને ન્યાય આપવા તેમજ અમારા વધારાના ખર્ચેલ નાણાં (દાહોદ ડીસા બસમાં ટિકિટ નં.૦૩૪૧૪૬ તા.૦૩/૧૦/૨૦૧૬ સમય ૧૮:૪૯:-- થી રૂ. ૮૬.૦૦ બે ટિકિટ) પરત કરવા તેમજ અમોને થયેલ માનસિક તકલીફ અંગે પણ ઘટતુ થવા વિનંતી છે.વધુમાં આ બાબતે એસ.ટી.ની ઓનલાઇન કમ્પ્લેઇન સેવા દ્વારા કમ્પ્લેઇન નં.#293243.તા.૦૪/૧૦/૨૦૧૬થી કમ્પ્લેઇન કરેલ છે.પરંતુ ક્યાંયથી પણ આવી ગંભીર બાબતનુ સંતોષકારક ઉત્તર મળેલ નથી.
નામ:હેમરાજભાઇ દલજીભાઇ વણસોલા
સરનામુ:-૨૧-સુર્યનગર સોસાયટી, આઇ.ટી.આઇ.ની સામે, ડેરી રોડ, પાલનપુર
મો-૯૯૨૫૮૬૭૧૫૮ ઇમેઇલ[protected]@gmail.com
Was this information helpful? |
Post your Comment