સવિનય સાથે જણાવવાનું કે ગાંધીનગર થી સરખેજ જતી બસો એમના નિયમિત સમય ઉપર આવતી નથી. જયારે આવે છે ત્યારે બધી બસો એકસામટી ઉપર છાપરી આવે છે, જેને લીધે મુસાફરો ના સમય સચવાતા નથી તેમજ પાસ કઢાવેલો હોવા છતાં ભાડા ખર્ચીને ખાનગી વાહનો માં જવાનું થાય છે.
ડ્રાઈવર ભાઈઓ એવું વિચારે છે કે પાછળ ની બસ ને મારી પેહલા જવા દઉં. આ વિચારસરણી ને લીધે કોઈ બસ ઉપાડતું નથી તેમજ જો ઉપાડી દીધી હોય તો ધીરે ધીરે ચલાવીને પાછળ ની બસ ને આગળ જવા માટેની રાહ જોવે છે. તેઓની આ વિચારધારા ને લીધે મુસાફરોના સમય સચવાતા નથી અને જો આગળની બસ પકડવાની હોય તો તે પણ જતી રહે છે.
આ અંગે અગાઉ પણ ફરિયાદ કરેલી છે પણ કોઈજ આ પ્રશ્ન અંગે ઉકેલ આવતો નથી. Was this information helpful? |
Post your Comment