Address: | પરીવહ અધિકારી શ્રી. એસ.ટી નગર. નડિયાદ |
પ્રતિ શ્રી,
પરીવહન અધિકારી શ્રી,
એસ.ટી નગર, નડિયાદ
અરજદાર ઃ- દહેગામ થી કપડવંજ રૂટના મુસાફરો ...
વિષય : - દહેગામ મકામેથી કપડવંજ મુકામે આવતી જી.જે.૧૮ ઝેડ ૫૬૦૮ વાળી બસનો જૂનો સમય ક૨વા બાબત ..
મે સાહેબ,
સવિનય સહ આપ સાહેબને જણાવવાનુ કે :
અમો દહેગામથી કપડવંજ મુકામે જતા આવતા કાયમી મુસાફરો છીએ અને અમારી નોકરીનો સમય સવારથી લઈને સાંજનો છે અને સદર ઉપરોકત વિષયમાં જણાવેલ બસ સિવાય બીજી બસ રાત્રીની કોઈ ન હોવાથી આ એકલી જ બસ છે અને સદર અમો ધંધા તેમજ નોકરીવાળા હોઈ સદર બસનો ટાઈમ જે જુનો ચાલતો હતો સાંજના ૬-૪૦ નો હતો તે બદલીને હાલમાં નવો ટાઈમ સાંજના ૬-૩૦ વાગ્યાના કરેલ છે જેનાથી અમો મુસાફરોને ઘણી જ તકલીફ પડી રહેલ છે અને અમોને બસ મળી રહેતી નથી અને અમાર પ્રાઈવેટ સાધન કરીને આવવુ પડે છે અને આમ અમોને તકલીફો પડી રહેલી હોઈ જેથી આપ સાહેબને શ્રી ને અરજી કરવાની જરૂર પડેલ છે.
માટે જે જનો ટાઈમ હતો બસનો સાંજના ૬-૪૦ નો એ અમો સૌને અનુકુળ હતો જેથી અમારી અરજીને ધ્યાને લઈ સદર દહેગામથી કપડવંજની બસનો સાંજનો ટાઈમ : ૬-૩૦ થી બદલીને ૬-૪૦ કરી આપવા મે.કરશોજી.
તા : ૩૧/૦૧/૨૦૨૧
કપડવંજ.
નકલ રવાના :-
ડેપો મેનેજરશ્રી, કપડવંજ. Was this information helpful? |
Post your Comment