નમસ્કાર,
આદરણીય ગુજરાત સ્ટેટ રોડ ટ્રાનસપોર્ટ કોર્પોરેશન અધિકારી સાહેબ/કચેરી
બાબત:-
ધોરાજી બસ સ્ટેન્ડમાં બાંટવા - રાજકોટ રૂટમાં કંડકટર દ્વારા જબરદસ્તી પેસેન્જરને ઉતારી મૂકી અને બસ રવાના કરી અને કંડકટર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું
વિગતવાર:-
જય હિન્દ જય ભારત સાથ જણાવવાનું કે ધોરાજી બસ સ્ટેન્ડ ખાતે તા. 30 ઓક્ટોમ્બર 2020ના રોજ બાંટવા-રાજકોટ રૂટ બસ નંબર 5383 ડ્રાઈવર નંબર 2038, કંડકટર નંબર 1412 બસમાં અમો કુલ અંદાજે 15 જેટલા પેસેન્જર જેતપુર/ગોંડલ તરફ જવા માટે બસની આગમનની રાહ જોઈ રહ્યા હતા. બસ આવતા 2 પેસેન્જર બસમાં બેસી ગયા અને 2 વ્યક્તિ બેસવાની તૈયારીમાં હતા ઉપરાંત 2 લોકો બસમાં ચડતા હતા ત્યારે બસના કંડકટર દ્વારા અમોને બેસવાની મનાઇ કરી અને અમોને ઉતરી જવા માટે કહેલું અને અમોને જબરદસ્તી ઉતારી મૂકાયા કેમ કે તેમને માત્ર ને માત્ર રાજકોટના જ પેસેંજર લઈ જવાનો ઇરાદો હતો જેમને જેતપુર તેમજ ગોંડલ જવાનું હતું તેમને કંડકટર મેડમ દ્વારા નહીં આવવાનું અને બેસવાનું કહેલ. માત્ર રાજકોટના પેસેન્જરને જ લઈ જવાના છે તેવું કહી અને જબરદસ્તીથી અમોને ઉતારી મૂકેલા. આ 15 પેસેન્જર માં 2 સ્ત્રીઓ હતી અને બીજા અમુક અંદાજે 5 જેટલા લોકો પાસ ધારક વ્યક્તિઓ હતા. આ બસમાં કંડકટર દ્વારા અમોને જબરદસ્તી ઉતારી દેવાયા અને સાથે સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરેલ. આ સમગ્ર બનાવ અંગે ધોરાજી બસ સ્ટેન્ડ અધિકારી સરવૈયા સાહેબને જાણ કરી તો તેમને બસના કંડકટરને આવું ન કરવા માટે કહેલ પરંતુ કંડકટર દ્વારા તો જાણે એમનું કોઈ સૂચન ન માની અને મનમાની કરી જાણે એમની સૂચનાની કોઈ આદર ન હોય તેમ પોતાની જ મનમાની કરી અને અમો અંદાજે 15 જેટલા પેસંજારોને ઉતારી અને બસ લઈ જવાઈ. ધોરાજી બસ સ્ટેન્ડના કર્મચારી દ્વારા બસને નહિ જવા દેવા સુધીની પણ કડક પણે સૂચના આપી હતી પરંતુ ધોરાજી બસ સ્ટેન્ડના કર્મચારીની વાત અને કડક સૂચના પણ ન સાંભળી અને બસ પોતાની મનમાની કરી અને જતી રહી અને સાથે સાથે 15 જેટલા પેસેન્જર પણ રહી ગયા. આ બનાવ અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન તેમજ માણમાની અંગે મુસાફરો દ્વારા ફરિયાદનું કહ્યું ત્યારે કંડકટર દ્વારા પેસેન્જરને એવું પણ સામે ધમકાવ્યા કે જો તમે ફરિયાદ કરશો તો તમને સામા ફસાવી દેશું. આપ સાહેબને મારે એ બાબતે પણ પૂછવું છે કે શું આવી ફરિયાદો કરવી તે ખોટી બાબત છે ? શું મુસાફરોને ધમકાવવું તે યોગ્ય ? આ સાથે કંડક્ટર મેડમ દ્વારા એવા પણ જાહેરમાં ખોટા આક્ષેપો સમાન આરોપો પણ લગાવાયા હતા કે તમે ખોટા છો અને તમે ખોટા ફોટા અને વીડિયો ઉતારો છો અમારા. અમો ફરિયાદી અને કોઈ પણ મુસાફર દ્વારા કોઈ પણ જાતના ફોટા કે વિડીયો ઉતારેલ નથી જેમના શાક્ષિ ખુદ ધોરાજી બસ સ્ટેન્ડના સ્ટાફ તેમજ ત્યાં આપના મૂકેલા સીસીટીવી કેમેરા છે. આ વાત અંગે ધોરાજી બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા સરવૈયા સાહેબ સાથે જ્યારે અમો બંને એટલે કે પેસેન્જર અને કંડકટર દ્વારા રજુવાત કરાઈ રહી હતી ત્યારે પણ કંડકટર તો જાણે પોતાની જ મનમાની ચલાવી રહ્યા હતા અને કહેલું કે હું નહિ લઈ જાવ જેથી 15 જેટલા પેસેન્જર અમારા યોગ્ય જગ્યા પર અને યોગ્ય સમયે ન પહોંચતા અમારા રોજ બરોજના કામ અને વ્યવહાર ખોરવાઈ ગયો. આ સાથે એ પણ સવાલ પૂંછવો છું કે શું સાચી અને યોગ્ય ફરિયાદ કરવાથી ફરિયાદી કે જેમને ફરિયાદ કરેલ હોઈ તે ખુદ સામે ફસાઈ જાય કે ફસાવી દેવાઈ ?
આપ ઈશ્વર સમાન ન્યાય આપી અને અમો ફરિયાદીને યોગ્ય ન્યાય આપી અને આ મનમાની કરતા કર્મચારી વિરૃદ્ધ કડક અને કાયદાકીય પગલા લઇ અને તેમને કરેલ દાદાગીરીની સજા આપી અને તેમને અગાઉ પણ કોઈ આવું દૂર વ્યવહાર કે ગેરવર્તન ભૂતકાળમાં પણ કરેલ છે કે નહિ તે અંગે પણ તપાસ કરવી અને યોગ્ય પગલાં લેવા વિનંતી.
વિનંતી સહ
આશિષ લાલકીયા
(ઉપલેટા – જેતપુર મુસાફરી કરનાર પાસ ધારક) Was this information helpful? |
Post your Comment