Address: | at.fort-Songadh ta.Songadh Dist.Tapi 394670 | Website: | gsrtc.in |
પ્રતિ,
સાહેબશ્રી,
વંદે માતરમ સહ આપ સાહેબશ્રીને ઉપરોક્ત જણાવેલ વિષય અન્વયે લખી જણાવવાનું કે,
હું વસાવા નિલેશકુમાર ખાતરીયાભાઈ ઉ.વ.આ.૨૫, ધંધો-અભ્યાસ તથા પાર્ટ ટાઈમ નોકરી રહે-બસ સ્ટેશન ફળિયું, નિંદવાડા તા.સોનગઢ જી.તાપી પિનકોડ-૩૯૪૬૮૦ મો.[protected]
હું અરજદાર daily passenger pass નો ઉપયોગકર્તા છું. મારે નિંદવાડા તા.સોનગઢ જી.તાપી મુકામેથી updown કરી ફોર્ટ-સોનગઢ તા.સોનગઢ જી.તાપી [૨૪ કિલોમીટર] મુકામે નોકરી પર જવાનું હોય છે. અમારા આ રૂટ પર સુરત ડીવીઝન સંચાલિત સોનગઢ ડેપો દ્વારા ખેરવાડા-સોનગઢ ની એક સવારે અને એક સાંજે આમ, ફક્ત કુલ્લે ૨ (બે) જ બસોના રૂટની સુવિધા આપવામાં આવેલ છે. અમારા આ રૂટ પર કોરોના [covid-19] સમય પહેલા સવારે ૨ (બે) બસ [૦૬:૧૫ કલાકે તથા ૦૮:૦૦ કલાકે] અને બપોરે ૧ (એક) બસ [૧૨:૩૦ કલાકે] અને સાંજે ૨ (બે) બસ [૦૫:૨૦ કલાકે તથા ૦૬:૪૫ કલાકે] આમ કુલ્લે ૫ (પાંચ) બસો સાથેના ખેરવાડા-સોનગઢ અને સોનગઢ-માંડવીના રૂટો ચાલુ હતા. જે હાલ બંધ થયેલ છે. અને ફક્ત સવારે ૧ (એક) બસ [૦૭:૧૫ કલાકે] તથા સાંજે ૧ (એક) બસ [૦૫:૩૦ કલાકે] ફાળવવામાં આવેલ છે. આ હાલ ચાલુ રૂટની બસોમાં પણ કાયમ અનિયમિતતા જળવાય રહે છે. કયારેક ટીકીટ જનરેટર મશીન બગડવાના જેવા હાસ્યાસ્પદ કારણોને લીધે કે બીજી બસ નથી કે બસના ડ્રાઈવર/કંડક્ટર નથી જેવા માની ન શકાય તેવા કારણો આપીને બસ આપવામાં આવતી નથી. થોડા સમયની મૌખિક/લેખિત/ટેલિફોનિક રજૂઆતોને ધ્યાને લઈ રૂટને રેગ્યુલર રાખ્યા બાદ હાલ ફરી "જૈસે થે" ની સ્થિતી આવીને ઉભી થયેલ છે.
સોનગઢ-ખેરવાડા રૂટની સાંજની બસ સોનગઢ-બોરદા મુકામેના રૂટ પરથી આવીને પછી સોનગઢ-ખેરવાડા રૂટ પર જાય છે. ગત તા.૦૮/૦૨/૨૦૨૩ વાર બુધવારના રોજ સદર બસ બોરદા મુકામે ગયા બાદ આવી જ નથી. અને ડ્રાઈવર/કંડક્ટર જોડે ટેલિફોનિક વાતચીત કરતાં inquiry કાઉન્ટર ના મેમ્બર જોડે અશોભનીય વાણીનો ઉપયોગ કરીને વાત કરવામાં આવી હતી. જેનાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તે સમયે સાંજના સોનગઢ-બોરદા રૂટ પર ગયેલ ડ્રાઇવરની બેદરકારીને કે મનમાનીના લીધે અમોને સાંજની સોનગઢ-ખેરવાડા રૂટની બસ ફાળવી આપવામાં આવેલ નહીં. જેના કારણે મને તથા અન્ય બીજા પેસેન્જરોને તથા અંતરીયાળ વિસ્તારમાથી મુસાફરી કરીને સોનગઢ મુકામે ભણવા આવતા વિદ્યાર્થીઓને ઘરે જવા માટે ખૂબ જ તકલીફ/મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે. આ સાંજની ૧ (એક) બસ સિવાય ઘરે (ખેરવાડા સુધી ) જવા માટે બીજો કોઈ વાહનનો વૈકલ્પિક ઓપ્શન નથી. આ ડ્રાઇવરની વારંવારની મનમાનીના કારણે હમોને કાયમી ધોરણે તકલીફ પડે છે. મારા અંગત મંતવ્ય પ્રમાણે બની શકે તો જે તે યોગ્ય કાર્યવાહી કરી તેમને "સસ્પેન્ડ" કરી દેવા જોઈએ. જેથી અમોને કે બીજા અન્ય રૂટના પેસેન્જરોને પણ તકલીફનો સામનો ન કરવો પડે. તેમની ડ્રાઇવિંગ પણ તદ્દન ગફલત ભરી હોય છે અને ડ્રાઇવિંગ કરતાં સમયે પણ ફોન પર લાંબી વાતો કરતાં રહેતા હોય છે જેથી અમારી જાનનું પણ જોખમ રહેલું છે જે બાબતે આપ સાહેબશ્રી અન્ય બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોની inquiry કરી confirm કરી શકો છો.
ઉપરાંત જાહેર રજાઓને દિવસે અને રવિવારે પણ સદર રૂટની બસોને બંધ રાખવામા આવે છે. અમારા રૂટ પર જૂના ટાઈમ-ટેબલ પ્રમાણેની બસો ફરીથી રેગ્યુલર ટાઈમ પર ફાળવણી કરી આપવા આપ સાહેબશ્રીને અરજ છે. કારણકે સવારના સમયે ગામડાઓમાં કામકાજનું વાતાવરણ હોય છે જેના લીધે સવારે આવતી [૦૭:૧૫ કલાકે] ની બસમાં કામ પતાવીને મુસાફરી કરવું અનિવાર્ય બને છે. જેથી સરકારી કચેરીઓના કામો માટે પણ સોનગઢ આવવું એ અગવડતા ભર્યું કારણ બની રહે છે.
મારી આપ સાહેબશ્રીને એટલી જ નમ્ર અરજ કે, અરજીમાં જણાવેલ હકીકતોને ધ્યાને લઈ જલદીમાં જલ્દી સોનગઢ-ખેરવાડા રૂટની બસો માટે યોગ્ય નિર્ણય લેશો અને અમારો રૂટ રેગ્યુલર રાખશો.
આભાર સહ.
આપનો વિશ્વાસુ
નિલેશકુમાર કે.વસાવા
(D.E.O. સોનગઢ) Was this information helpful? |
Post your Comment