બાવળા ડેપો નો ખરાબ-ખોટી રીતે કરવામાં આવતા વહીવટ ને કારણે મુસાફરો ઘણાં સમય થી હેરાન થાય છે, છતાં સ્થાનિક અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ને કઈજ ફરક પડતો નથી. ઘણાં બધા ફેરા અને બસો સ્થાનિક કર્મચારીઓ ના મન મરજી મુજબ બંદ કરવામાં આવેલ છે. જેમાં સવારે બાવળા -મહેસાણા, બાવળા-બહુચરાજી જેવી બસો અને ફેરા નો સમાવેશ થાય છે. બાવળા થી SG HIGHWAY તેમજ અડાલજ સુધીના મુસાફરો કે જેઓ સરકારી નોકરી, ખાનગી નોકરી માટે તેમજ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે આવતા-જતા મુસાફરો ને ખુબ જ હાલાકી નો સામનો કરવો પડે છે. આ સંદર્ભે અગાઉ લેખિત માં અરજી મુસાફરો ની સહી સાથે સ્થાનિક કર્મચારી તેમજ ઉચ્ચ અધિકારી ને Register AD (Registered Post with Acknowledgement Due) પોસ્ટ મારફતે મોકલી આપેલ.(Attachment 1 &2).
અરજી આપ્યા ના પાંચ દસ દિવસ બાદ મૌખિક રીતે બાવળા ના ડેપો મેનેજર સાથે વાત કરવામાં આવી તો તેમના દ્વારા ઉત્તર આપવામાં આવ્યો કે પુરતો staff ન હોવાથી બંદ છે શું કરી શકીએ તમે કો એમ કરીએ !, અમે જવાબ આપ્યો કે સવારે અને જે બસો માં આવક અને મુસાફરોનું આવાગમન ઓછું હોય એવા ફેરા બંદ કરી અને યોગ્ય જગ્યા ના ફેરા ચાલુ કરો. પણ આ વાત થી કોઈ ફરક ના પડવાથી DC સાથે મૌખિક વાત કરવા માટે mobileકરવામાં આવ્યો તો એમણે સીધો જવાબ આપ્યો “એ તમારા ડેપો મેનેજર નો પ્રશ્ન છે” આવું કહીને ફોન મૂકી દેવામાં આવ્યો. આ બધું સાંભળીને એવું લાગે છે કે સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ ને પ્રજા ની મુશ્કેલીઓ થી કઈજ પડી નથી.
બસો ના અનિયમિત ફેરા તેમજ ખરાબ ટાઈમ ટેબલ ને કારણે મુસાફરો ને ખુજ હાલાકી નો સામનો કરવો પડે છે.
જો આ અરજી થી ૩-5 દિવસ માં કોઈ ફેરફાર જણાશે નહિ તો MEDIA તેમજ SOCIAL MEDIA નો સહારો લેવામાં આવશે.
Was this information helpful? |
Post your Comment