સવિનય સાથે જણાવવાનું કે કોરોના મહામારી બાદ શાળાઓમાં ફરીથી શેક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ થયેલ હોય શાળાનો સમય સવાર પાળીમાં હોય તો નવી દુધઈ સ્થિત સરદાર પટેલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ આસપાસના ગામડામાંથી કરે છે. જે ભુજ ડેપોમાંથી સવારે 6.00 વાગ્યે ભુજ રવેચી બસ ચાલુ હતી પણ ઘણા સમયથી આ બસ બંધ છે. જેના કારણે વિધ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચી સકતા નથી. આ બસમાં એ ડાઉન કરતા વિદ્યાર્થી ધાણેટી, હીરાપર, નવાગામ, કોટડા, ચાંદ્રાણી માંથી આશરે 50 વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીના ભવિષ્યને હિતમાં રાખી શેક્ષણિક કાર્યમાં સમયસર પહોંચે માટે આ બસ ફટીથી સવારે 6.00 વાગ્યે ચાલુ કરવા નમ્ર વિનંતી.
આ અગાઉ પણ કચેરીમાં બસ ચાલુ કરવા અંગે લેખિલ અરજી કરવામાં આવેલ પણ રાપર-ક્ચ્છ ડેપો મેનેજરશ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આપશ્રી દ્વારા તત્કાલીન બસ શરૂ કરવામાં આવે એવી નમ્ર વિનંતી. Was this information helpful? |
Post your Comment