હું રેનિશ પટેલ ગામ આંબળાશ (ગીર) અમારા ગામમાં કેશોદ ડેપો ની બસ આવે છે, કેશોદ-આંબળાશ એ બસ ૨-૩ દિવસ થયા નથી આવતી તો મેં કેશોદ ડેપો મા ફોન કરી ને પુછી કે બસ કેમ થી આવતી તો તે લોકો એવુ કે છે કે તાલાલા- આંબળાશ રસ્તા પર રોડ નું કામ ચાલુ છે, તો મેં તેમને વાત કરી કે બીજી બે બસ આવે છે આંબળાશ ગામમા એને કાંઈ વાધોં નથી આવતો તો એ લોકો નુ કેવુ એવુ છે કામ પુરુ થશે તો આવશે બાકી નહીં આવે એમ કહી ને ફોન કાપી નાખે છે, અને સરખો જવાબ નથી આપતા અને હું પેસીન્જર પાસ કઢાવી ને જવ છું તો મારા પાસ ના રૂપિયા ભરેલા છે તો એનુ તો નુકસાન થાય ને, મારી એટલી વિંનતી છે કે આ સમસ્યા નો હલ કરવામા તમે મદદ રુપ થશો અને મારી આ અરજી સ્વીકાર કરશો.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
હિંમતનગર વિભાગીય નિયામકશ્રી,
હિંમતનગર. સાં.કા
સવિનય સાથે જણાવાનું કે પોશીનાં થી સોનગઢ જતી બસ છેલ્લા 2 દિવસ થી પોશીનાં ડેપો ખાતે સાંજે ૬:૧૦ કલાકે ઉપડતી હતી જે આવતી નથી. અને તે બસ ઓનલાઇન જોઈ તો આવશે એવું બતાવે છે. તેમ છતાં ડેપો ખાતે આવતી નથી.અને આ બસ પોશીનાં થી અમદાવાદ સાઈડ જતાં ગવર્મેન્ટ કર્મચારીઓ ને અપ-ડાઉન કરવાનો પાસ હોવા થી આ બસ નો લાભ લઈ શકતા હતા. અને આ બસ ની રાહ જોઈને પછી પ્રાઈવેટ વાહન માં મુસાફરી કરવી પડે છે પાસ ઉપયોગ માં લઇ શકાતો નથી.અને મુસાફરો માટે આ બસ બહુ ઉપયોગી થતી હતી.
આ બસ આશરે ૪૫ દિવસ પહેલા જ બસ સેવા ચાલુ કરી હતી અને તેનો લાભ નાઈટ માં મુસાફરી કરતા મુસાફરો આ બસનો લાભ લઈ શકતા હતા.અનેં તે મુસાફરો પણ ડેપો ખાતે આવી ને રાહ જોઈને બસ નાં અવના કારણે પ્રાઈવેટ વાહનમાં જવું પડે છે તેવી હાલાકીનો સામનો કરવો પડે છે. જો આ બસ બંધ કરવા માં આવી હોય તો ફરી જૂના સમય ચાલુ કરવામાં આવે અને આગામી દિવસો માં તહેવારો આવે છે.તો આ બસ મુસાફરો માટે ઉપયોગી નીવડે તેમ છે. આપને સાહેબ એક ન્રમ અપીલ છે કે આ બસ સતવરે રાબેતા મુજબ ચાલુ થઈ જાય એવી અશા રાખી છીએ. અપ-ડાઉન કરતાં કર્મચારીઓની પરીસ્થિતિ ધ્યાનમાં લેશોજી.આપનો અભિગમ હકારાત્મતા હશે તેવી આશા રાખીએ છીએ.
લી.
આપનો વિશ્વાસુ
રાજેશ પટેલ.